આંધ્રના દરિયા કિનારે ટકરાયું મિચોંગ વાવાઝોડું, 110 કિમીની ઝડપે પવન ફૂંકાયો, ભારે વરસાદ-પૂરથી હાહાકાર
- 05 Dec, 2023
મિચોંગ વાવાઝોડાનું લેન્ડફોલ થઈ ગયું છે. મંગળવારે બપોરની આસપાસ વાવાઝોડું આંધ્રપ્રદેશના બાપટલાના દરિયા કિનારે ત્રાટક્યું હતું. 110 કિમીની ઝડપે વાવાઝોડું આંધ્રના દરિયા કિનારે ત્રાટક્યું હતું. જેવું વાવાઝોડું ત્રાટક્યું કે તરત ભારે વરસાદ શરુ થઈ ગયો હતો અને જોતજોતામાં પૂર આવ્યું હતું.
ગઈકાલે સમાચાર હતા કે ચક્રવાત મિચોંગના કારણે તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં ભારે વરસાદ થયો છે, જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને ખરાબ હવામાનના કારણે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે. ચેન્નાઈ એરપોર્ટનો રનવે પાણીથી ભરાઈ ગયો છે. જેના કારણે ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે, કેટલીક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, સોમવાર, 4 ડિસેમ્બરના રોજ ચક્રવાત મિચોંગ તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ ગયું હતું.
ચેન્નાઈમાં ઘણા મેટ્રો સ્ટેશનો પર પાણી ભરાઈ ગયા છે. સોમવારે, ચેન્નઈ પોલીસે કહ્યું કે તેમને ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં પાંચ મૃત્યુના અહેવાલ મળ્યા છે. આ સિવાય એક અહેવાલ મુજબ કનાથુર વિસ્તારમાં નવી બનેલી દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે અને ચુલામેડુની સરકારી શાળામાં કામ કરતા 50 વર્ષીય સેલ્વમ પણ વરસાદના પાણીમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ચેન્નઈમાં વાવાઝોડાને કારણે 8થી વધુ લોકોના મોત થયા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ